Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

‘આપ કી અદાલત'માં હાજર થશે કાર્તિક

આ શો ઇન્‍ડિયા ટીવી પર રાતે દસ વાગ્‍યે ટેલિકાસ્‍ટ થવાનો છે

મુંબઇ,તા. ૨૧: રજત શર્માના શો ‘આપ કી અદાલત'માં કાર્તિક આર્યન દેખાવાનો છે. આ શો ઇન્‍ડિયા ટીવી પર શનિવારે રાતે દસ વાગ્‍યે ટેલિકાસ્‍ટ થવાનો છે. એ શોમાં કાર્તિકની લાઇફ સાથે જોડાયેલા કેટલાક પર્સનલ અને પ્રોફેશનલ સવાલો તેને પૂછવામાં આવશે. રજત શર્મા સાથેનો ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરીને કાર્તિક આર્યને કેપ્‍શન આપી હતી, ‘લેજન્‍ડરી રજત શર્માના શો ‘આપ કી અદાલત'માં હું આવવાનો છું. આ આઇકોનિક શો જોઈને મોટો થયો છું અને આમાં ભાગ લેવો એ મારા માટે સન્‍માનની બાબત છે. એક વાતનો હું એકરાર કરું છું કે તેમનો સામનો કરવો અઘરું છે.' 

(11:09 am IST)