Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

શ્રીનગરનાં જેહલમમાં બોટ પલ્ટી જતા ૬ના મોતઃ ૬ ઘાયલઃ ૧૦ લાપતા

શ્રીનગરનાં જેહલમમાં બોટ પલ્ટી જતા ૬ના મોતઃ ૬ ઘાયલઃ ૧૦ લાપતા

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૧૬: શ્રીનગરના જેહલમમાં બોટ પલ્ટી જતા સર્જાયેલ દુર્ઘટનામાં ૬ વ્યકિતના મોત થયા છે. જયારે ૬ ને ઇજા થઇ હતી. તથા ૧૦ વ્યકિતઅો લાપતા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સ્થાનીક લોકોઍ જણાવ્યુ કે આ વિસ્તારમાં પુલ ન હોવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ઍક મહિલા, તેના ર પુત્રો અને ર સ્થાનીક લોકોની અંતિમવિધી કરવામાં આવી હતી. જયારે લોકો રડી પડયા હતાં.
પોલીસ, ફાયર બ્રિગેડ, ઍસડીઆરઍફ., ઍનડીઆરઍફ., સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને બચાવકાર્ય શરૂ કર્યુ હતું.
ઉપરાજયપાલ મનોજ સિન્હાઍ આ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યુ હતું.

(5:04 pm IST)