Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ચૂંટણી પહેલા બદલાઈ શકે છે તમારા ખિસ્સામાં રહેલી ૧૦૦-૨૦૦-૫૦૦-૨૦૦૦ની નોટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો પ્લાન છે કે, નોટોને વાર્નિશ કરીને માર્કેટમાં લાવવામા આવે. તેનાથી તે લાંબા સમય સુધી ચાલશેઃ આરબીઆઈની વાર્ષિક રિપોર્ટ ૨૦૧૭-૧૮માં આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે, બેંક નોટ્સ બદલવાની જરૂર છે. :નોટ બદલવાનો મતલબ એ નથી કે, જૂની નોટ બંધ થઈ જશે.

મુંબઇ, તા.૨૦: આરબીઆઈએ ૧૦૦ રૂપિયાની નવી નોટ માર્કેટમાં ઉતારવાની શરૂઆત કરી દીધી છે. પર્પલ કલરની ૧૦૦ રૂપિયાની નોટ હવે કેટલાક એટીએમમાંથી મળી રહી છે. તો ચર્ચા છે કે, આરબીઆઈ ૧૦૦ રૂપિયાની નવી નોટ પણ લાવવાની છે. તે એક સ્પેશિયલ ફીચરલેસ ૧૦૦ રૂપિયાની નોટ હશે. હવે જાણવા મળ્યું છે કે, આગામી વર્ષે થનારા લોકસભા ઈલેકશન પહેલા તમારા ખિસ્સામાં પડેલી બાકીની નોટ પણ બદલાઈ શકે છે. ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટ પણ બદલવામાં આવશે. નોટ બદલવાનો મતલબ એ નથી કે, જૂની નોટ બંધ થઈ જશે. પંરતુ બંને પ્રકારની નોટનું ચલણ માર્કેટમાં રહેશે. જોકે, જો નવા ફીચર્સવાળા નોટનું ટ્રાયલ યોગ્ય

 રહેશે તો હાલના નોટની સિસ્ટમને ધીરે ધીરે ઓછી કરવામાં આવશે. નવી નોટને વાર્નિશ પેઈન્ટની સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે.

હકીકતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો પ્લાન છે કે, નોટોને વાર્નિશ કરીને માર્કેટમાં લાવવામા આવે. તેનાથી તે લાંબા સમય સુધી ચાલશે. આરબીઆઈની વાર્ષિક રિપોર્ટ ૨૦૧૭-૧૮માં આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે, બેંક નોટ્સ બદલવાની જરૂર છે. જોકે, આ માત્ર ટ્રાયલ તરીકે હશે. આ પ્રકારનો ટ્રાયલ અન્ય દેશોમાં પણ અપનાવી ચૂકાયો છે. જોકે, આરબીઆઈ તરફથી હાલ તેની કોઈ પુષ્ટિ કરવામા આવી નથી.

હકીકતમાં, ૧૦૦ રૂપિયાની નવી નોટ પર વાર્નિશ પેઈન્ટ ચઢેલો હશે. આરબીઆઈ નોટના આ પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. તો ૧૦૦નીનોટ બાદ ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦નીનોટ પર પણ વાર્નિશ પેઈન્ટ ચઢાવીને તેને ટ્રાયલ તરીકે માર્કેટમાં લાવવામાં આવશે. અમારી સહયોગી વેબસાઈટ Zeebiz.com મુજબ, સરકારની સાથે ચર્ચા બાદ આરબીઆઈ ભારતીય બેંક નોટ્સમાં બદલાવ કરવાની તૈયારી કરી રહ્યું છે. આરબીઆઈના પ્રસ્તાવ મુજબ, અન્ય દેશોમાં કરાયેલો નોટની આવરદા વધારવાનો આ પ્રયાસ સફળ રહ્યો છે.

વાર્નિશ પેઈન્ટ વાળી નવી નોટ હાલની નોટના મુકાબલે બે ગણી વધુ ટકશે. જોકે, તેની ડિઝાઈન બિલકુ હાલની નોટની જેમ જ હશે. નવી નોટ પણ ગાંધી સીરિઝની રહેશે. બસ, તેની લાઈફ વધારવા ઉપર વાર્નિશ પેઈન્ટ કરવામાં આવશે.

વાર્નિશ પેઈન્ટવાળા બેંક નોટ્સ લાવવાનો પ્રસ્તાવ આરબીઆઈના એજન્ડમાં પહેલાથી સામેલ છે. આરબીઆઈની વાર્ષિક રિપોર્ટ ૨૦૧૬-૧૭ની કરન્સી મેનેજમેન્ટ ચેપ્ટરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. RBI ના૨૦૧૭-૧૮નાં એજન્ડમાં પ્રોકયોરમેન્ટ ઓફ કરન્સી વેરીફિકેશન એન્ડ પ્રોસેસિંગ સિસ્ટમ (CVPS)/Shredding and Briquetting Systems (SBS) ઉપરાંત નવી સીરિઝના બેંક નોટ  જાહેર કરવાનું હતું. સાથે જ વાર્નિશ બેંક નોટ્સ પણ લોન્ચ કરવું તેના એજન્ડામાં સામેલ હતું.

આરબીઆઈ સાથે જોડાયેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌથી પહેલા ૧૦૦ રૂપિયાના વાર્નિશ નોટ લાવવામાં આવશે. ત્યાર બાદ ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટ પણ આ ફિચર્સની સાથે લાવવામાં આવશે. આગામી વર્ષે થનારા ઈલેકશન પહેલા આ નોટોમાં બદલાવ કરી શકાય છે. જોકે, અધિકારીક પુષ્ટિ માટે આરબીઆઈની જાહેરાતની રાહ જોવી પડશે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે, આરબીઆઈએ તેની તૈયારી કરી લીધી છે.

હકીકતમાં, હંમેશા ઈલેકશન પહેલા કે ઈલેકશન દરમિયાન રૂપિયાની તંગી જોવા મળે છે. આ દરમિયાન એટીએમ અને બેંકમાં કેશની તંગી જોવા મળે છે. ઈલેકશન દરમિયાન માર્કેટમાંથી કેશ ગાયબ થઈ જાય છે. હાલમાં જ આવેલ આરબીઆઈના એક રિપોર્ટ મુજબ, ગત ઈલેકશન દરમિયાન પણ રૂપિયાની તંગી જોવા મળી હતી. તો ઈલેકશન પહેલા આ નોટને લાવવાથી તેનું ટેસ્ટિંગ પણ થઈ જશે.

(3:49 pm IST)