Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

આસામના નલબારી જિલ્લામાં બસ કાબુ ગુમાવતા તળાવમાં ખાબકી 7 લોકોના મોત : 20થી વધુ ઘાયલ

 

આસામમાં નલબારી જિલ્લામાં ગુવાહાટીથી મુકાલવુલા જઈ રહેલી આસામ રાજ્ય પરિવહન નિગમની બસ કાબુ ગુમાવતા રસ્તા નજીક આવેલા તળાવમાં ખાબકી હતી, ઘટનામાં 7 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જયારે 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્ટિપટલમાં ખડેસવામાં આવ્યા છે.

  દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ કેટલાક લોકોને ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જાણકારી મળી હતી કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે

(11:27 pm IST)