Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મનમોહનસિંહ રાજસ્થાનથી રાજયસભાના સાંસદ તરીકે નિર્વિઘ્ને ચૂંટાયા

ભાજપે પૂર્વ વડાપ્રધાન સામે ઉમેદવાર ન ઉતારવા જાહેર કરેલ

જયપુરઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજસ્થાનથી નિર્વિઘ્ને રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. ભાજપે અગાઉ જ જાહેર કરેલ કે પાર્ટી મનમોહનસિંહ સામે પોતાના ઉમેદવાર નહીં ઉતારે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરી મનમોહનસિંહને અભિનંદન પાઠવ્યા હતા.

ગેહલોતે જણાવેલ કે હું પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીને રાજસ્થાનથી રાજયસભાના સભ્યના રૂપે નિર્વિધ્ને ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવું છું. તેમનું ચૂંટાવુ આખા રાજય માટે ગર્વની વાત છે. તેમનું વ્યાપક જ્ઞાન અને સમૃદ્ધ અનુભવથી રાજસ્થાનની જનતાને ખુબ જ લાભ થશે.

(1:12 pm IST)