Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પૂ. જીવરાજબાપુના સ્વર્ગીય સાનિધ્યમાં અલૌકિક- યાદગાર અવિસ્મરણીય સ્મૃતિઓ

રાજકોટઃ ત્રણેક વર્ષ પૂર્વે સત્તાધાર ખાતે સતાધારના ગાદીપતિ પૂજનીય સંત જીવરાજબાપુ સાથેની જીવન પર્યન્તની યાદગાર પળોઃ પૂજય બાપુની રાત-દિવસ દાયકાઓથી સેવા કરનાર સેવક ગણ સાથે અને મારા પરમ મિત્ર સ્વ. રસિકભાઇ બાવલીયા સાથે બાપુના દર્શનનો લાભ મળેલ. અકિલા પરિવાર ઉપર બાપુનો હંમેશ અપાર પ્રેમ અને આર્શિવાદ રહયા છે.

પૂજય જીવરાજબાપુને બાળક જેવા નિર્દોષ હાસ્ય સાથે માણવા એ પણ જીવનનો એક મોટો લ્હાવો છે.

પૂજય બાપુએ તેમને ધરવામાં આવેલ મુંબઇની સુપ્રસિધ્ધ ''ઝેસ્ટ ચોકલેટ'' સ્વીકારી અમને પ્રસાદીરૂપે પોતાના હાથે ખવડાવેલ તેની જીવનભરની યાદીઓ વાગોળતા  આંખમાંથી અશ્રુઓ સરી પડે છે... સાથે વિસાવદર ખાતેના અકિલાના પ્રતીનિધિ અને નખશીખ પ્રમાણીક પત્રકાર શ્રી યાસિનભાઇ બ્લોચ પણ નજરે પડે છે. પૂજય જીવરાજબાપુ અને પૂ. આપા ગીગાના દર્શન કરાવવા માટે પૂજય નરેન્દ્રબાપુ સોલંકીના હમેંશ ઋણી રહેશું. -કિરીટ જી. ગણાત્રા, અકિલા પરીવાર, રાજકોટ (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)

(11:39 am IST)