Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કાશ્મીરમાં ગવર્નરના શાસનમાં મિલિટરી રાજ ન આવે તેવી આશા : ચિદમ્બરમ્

નવી દિલ્હી તા. ૨૦ : પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે, પીડીપી - ભાજપનું તકવાદી ગઠબંધન તૂટી ગયું તે રાહત સમાન છે. ગવર્નરના શાસનના ઓઠા હેઠળ કાશ્મીરમાં મિલિટરી રાજ કે બળપ્રયોગનું શાસન ન આવે તેવી આશા તેમણે જણાવી હતી.

પી.ચિદમ્બરમે સંખ્યાબંધ ટ્વિટ કરીને ઘણા સમયથી અપેક્ષા હતી તેમ ભાજપ - પીડીપીનું ગઠબંધન તૂટી ગયું છે. હવે ગવર્નરના શાસન હેઠળ મીલિટરી રાજ ન આવે તેવી આશા અને હવે પછી ગવર્નર પદે કોની નિમણૂંક થાય છે તે પણ મહત્વનું છે.

(12:37 pm IST)