Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

સંયુક્ત રાષ્ટ્ર ની દેખરેખ હેઠળ નાગરિકતા સુધારા કાયદો અને એનઆરસી પર જનમત સંગ્રહ કરાવો : મમતાની વિચિત્ર માંગણી

જ્યારે સ્વતંત્રતા માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે ભાજપના નેતા ક્યાં હતા

 

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માંગણી કરી કે સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ નાગરીકતા સુધારા કાયદો અને એનઆરસી પર જનમત સંગ્રહ કરાવવામાં આવે. જે બાદ જોઇએ કે કોણ જીતે છે.

કેન્દ્રની મોદી સરકારને પડકાર આપતા મમતાએ કહ્યું કે જો તમે હારો તો તમારે રાજીનામું આપીને જવાનું રહેશે. મમતાએ કહ્યું કે તમને પડકાર ફેંકું છું કે દેશને સાપ્રદાયિક તોફાનોનો ઉપયોગ કરીને વિભાજીત કરવાનો પ્રયાસ કરો.

   મમતાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તમે કોઇ વ્યક્તિની ઓળખ તેના કપડા પરથી કરો છો. અમે બેલ વગાડી છે. કેટલાક લોકો તેને તમારા અંતનો અવાજ કહી શકે છે. લોકતંત્રને બચાવવા માટે અમારી લડાઇ છે. જ્યારે સ્વતંત્રતા માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે ભાજપના નેતા ક્યાં હતા.

(11:19 pm IST)