Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

યુ.એસ.ના અલ્હામ્બ્રા સ્થિત શીખ ગુરૂદ્વારામાં થતી ધાર્મિક શૈક્ષણિક, તથા સેવાકીય પ્રવૃતિઓ ચાલુ રહેશેઃ આયોજન પંચએ ગુરૂદ્વારાને કોમર્શીઅલ કોમ્પલેક્ષમાં પરિવર્તિત કરવાનો હુકમ રદ કરતાં શીખોમાં આનંદની લાગણી

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા અલ્હામ્બ્રા ગુરૂદ્વારાના ઉપક્રમે છેલ્લા ૪ દાયકાની કામગીરી જેવીકે પ્રાર્થના બાળકોને પંજાબી ભાષામાં શિક્ષણ, જરૂરિયાતમંદ પ્રજાજનોને ભોજન, સહિતની કામગીરીને ધ્યાને લઇ શહેરનાં આયોજન પંચએ આ કામગીરી ચાલુ રાખવા મંજુરી આપી છે. જે આ અગાઉ રદ કરાઇ હતી તથા કોમર્શીયલ કોમ્પલેક્ષમાં પરિવર્તિત કરવાની સૂચના આપી હતી. તેથી હવે અલ્હામ્બ્રામાં વસતા ૩૦૦ ઉપરાંત શીખ અમેરિકન્સ સ્થાનિક ગુરૂદ્વારામાં નિયમિત પ્રાર્થના કરી શકશે તેમજ સેવાકીય, શૈક્ષણિક  સહિતની સામાજીક પ્રવૃતિઓ ચાલુ રાખી શકશે.

(8:37 pm IST)