Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

બંગાળના મુખ્યમંત્રીના ગૃહમંત્રી ઉપર પ્રહાર

સૌનો સાથ, સૌનો વિકાસ નહિ બધાનો સર્વનાશ કર્યોઃ મમતા

કોલકતાઃ એનઆરસી અને સંશોધિત નાગરીકતા કાયદા (સીએએ)ને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિતભાઇ ઉપર નિશાન સાધ્યુ હતુ. મમતાએ જણાવેલ કે તમે સૌનો સાથ, સૌનો વિકાસ તો ન કર્યો પણ બધાનો સર્વનાશ જરૂર કર્યો. મમતાએ સીએએને તુરંત પરત લેવાની માંગ કરતા અમિતભાઇનેે પશ્ચિમ બંગાળમાં એનઆરસી અને સીએએ લાગુ કરવા પડકાર ફેકતા જણાવેલ કે તમે ગેટલુ જોર લગાઓ પણ બંગાળમાં આ કાઇપણ હાલમાં લાગુ નહિં થાય તેમણે સવાલ કર્યો કે તમે દેશના ગૃહમંત્રી છો, ન કે ફકત ભાજપ નેતા તમારૂ કામ આગ લગાવવાનું નહિં પણ ઠારવાનું છે, દેશમાં શાંતિ કાયમ રાખવાની છે.

સતત ત્રીજા દિવસે રસ્તા ઉપર ઉતરી મમતાએ જણાવેલ કે અમે બંગાળમાં કયારેય પણ એનઆરસી અને નાગરીકતા કાયદાની પરવાનગી નહિ આપીએ, કોઇને પણ રાજય છોડવા માટે નહિ કહીએ. વિરોધ પ્રદર્શન દરમિયાન તોડફોડનો શિકાર બનેલ માલદા જીલ્લાના રેલ્વે સ્ટેશનની મુલાકાત કરવા પહોંચેલ ભાજપના બે સાંસદોની ધરપકડ કરવામાં આવેલ.

(12:56 pm IST)