Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કાળીયાર શિકાર મામલાની આજે સુનાવણી

સલમાન હાજર ન રહે તેવી શકયતાઃ સ્થાયી હાજરી માફી પત્ર અંગે પણ નિર્ણય આવી શકે છે

જોધપુરઃ અભિનેતા સલમાન ખાનની કાળીયારના શિકાર મામલે પાંચ વર્ષની સજા વીરૂધ્ધ અપીલમાં આજે જોધપુર જીલ્લા કોર્ટમાં સુનાવણી યોજાનાર છે. જો કે સલમાન આજે હાજર ન રહે તેવી શકયતા છે.

સપ્ટેમ્બરમાં યોજાયેલ હાજરી દરમિયાન જસ્ટીસ ચંદ્રકુમાર સોનગરાએ હાજરી માફી વિનંતી પત્રમાં જરૂરી વાકય ન હોવાથી એકવાર હાજરી માફી પત્ર પરત કરેલ, જો કે ત્યારબાદ સ્વીકારેલ. ૪ જુલાઇએ સુનાવણી દરમિયાન કોર્ટે મૌખીક રૂપે સલમાનને કોર્ટમાં હાજર રહેવા જણાવેલ. સલમાનના વકીલોએ અલગથી સ્થાયી હાજરી માફી પત્ર રજુ કરેલ જેનો સરકારી વકીલે વિરોધ કરેલ. આ માફી પત્ર અંગે આજે સુનાવણી દરમિયાન નિર્ણય આવી શકે છે

(11:35 am IST)