Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

કેરળમાં કોરોનાનો કહેર યથાવત :દેશમાં નવા 36.569 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 36.426 દર્દીઓ રિકવર થયા : વધુ 543 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.33.522 થયો :એક્ટીવ કેસ 3.57.733 થયા : કુલ કેસની સંખ્યા 3.23.58.179 થઇ

સૌથી વધુ કેરળમાં 21.116 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5225 કેસ, તામિલનાડુમાં 1702 કેસ, આંધ્રપ્રદેશમાં 1501 કેસ,કર્ણાટકમાં 1432 કેસ,ઓરિસ્સામાં 1041 કેસ, પશ્ચિમ બંગાળમાં 731 કેસ, આસામમાં 713 કેસ,મણીપુરમાં 526 કેસ,મિઝોરમમાં 487 કેસ

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 36.569 કેસ નોંધાયા છે. જ્યારે 36.426 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 36.569 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 543 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.33.522 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 36.569 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.23.58.179 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.57.733 થઇ છે છેલ્લા 24 કલાકમાં 36.426 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.15.54.103 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 21.116 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5225 કેસ, તામિલનાડુમાં 1702 કેસ, આંધ્રપ્રદેશમાં 1501 કેસ,કર્ણાટકમાં 1432 કેસ,ઓરિસ્સામાં 1041 કેસ, પશ્ચિમ બંગાળમાં 731 કેસ, આસામમાં 713 કેસ,મણીપુરમાં 526 કેસ,મિઝોરમમાં 487 કેસ નોંધાયા છે 

(1:09 am IST)