Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ખોડલધામ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈની રજતતુલાઃ ૭૫ કિલો ચાંદી અર્પણ

રાજકોટઃ આજે ભાજપની જન આશીર્વાદ યાત્રા માટે પધારેલા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ખોડલધામ ખાતે પહોચ્યા હતા જ્યાં તેઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. તે વખતની તસ્વીરોમાં ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ સાથે શ્રી માંડવિયા નજરે પડે છે. અન્ય તસ્વીરમાં બહેનો દ્વારા શ્રી માંડવિયાને સ્મૃતિ ચિન્હ આપી સત્કારવામાં આવ્યા હતા તે નજરે પડે છે તેમજ આ તકે શ્રી માંડવિયાનુ ફુલહાર તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયેલ તે દર્શાય છે. છેલ્લી તસ્વીરમાં મનસુખભાઈ માંડવિયાની ભવ્ય રજતતુલા યોજવામાં આવી હતી જેમા તેઓના ભારોભાર ૭૫ કિલો ચાંદી જોખી અને ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યુ હતુ તે દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:36 pm IST)