Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ખોડલધામની નિશ્રામાં ભાજપના આગેવાનો

રાજકોટઃ ભાજપની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આ યાત્રા દરમિયાન ખોડલધામ મંદિરના દર્શન કર્યા હતા. તે વખતની તસ્વીરમાં આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પૂર્વ ડે. મેયર અશ્વિન મોલીયા, ભરત બોઘરા, કોર્પોરેટર નીતિન રામાણી, સુરેશ વસોયા સહિતના ભાજપ આગેવાનો મંદિરમાં બેઠેલા દર્શાય છે. જ્યારે અન્ય તસ્વીરમાં ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ સાથે ગહનચર્ચા કરી રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જીતુભાઈ વાઘાણી સાથે હસ્તધૂનન કરી રહેલા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)