Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તાલિબાનને માન્યતા આપવી કે નહીં ? લોકશાહી દેશોની પ્રતિક્રિયા પર નિર્ભર : વિદેશમંત્રીએ કહ્યું વેઇટ એન્ડ વોચ

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

નવી દિલ્હી :ભારત આવનારા સમયમાં તાલિબાન શાસનને માન્યતા આપશે કે નહીં એ અત્યારે નક્કી નથી. ભારત વેઇટ એન્ડ વૉચની સ્થિતિમાં છે, કેમકે અફઘાનિસ્તાનમાં સ્થિતિ અસ્થિર છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ભારત દ્વારા તાલિબાનને માન્યતા આપવી લોકશાહી દેશોની પ્રતિક્રિયા પર પણ નિર્ભર કરે છે. આવનારા દિવસોમાં અફઘાનિસ્તાનના આકાઓના આચરણ પર પણ ઘણું નિર્ભર કરે છે.

(12:17 pm IST)