Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

બિહારમાં ૧૨થી વધુ જીલ્લામાં પુરનો પ્રકોપ : 16 લોકોના મોત : મૃતકોના પરીવારજનોને ૪-૪ લાખની સહાય જાહેર

મુખ્યમંત્રી નિતિશ કુમારે પ્રભાવિસ્તારમાં હવાઈ સરવે કર્યો :પૂરને કારણે ૩૨ હજારને અસર

બિહારમાં પૂરને કારણે પ્રભાવિત થયેલા વિસ્તારો મુદ્દે મુખ્યમંત્રી નિતિશ કુમાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેમણે ભાગલપુર અને ખગડિયામાં હવાઈ સરવે કર્યો હતો. બિહારમાં 12 થી વધુ જીલ્લામાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીઓ જોખમી સ્તરે વહેતા ઘણા ગામોને અસર થઈ છે. અધિકારીઓની સાથે મુખ્યમંત્રી નિતિશ કુમાર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. નિતિશ કુમારે સરવે બાદ કહ્યું કે,'અમે જઈને વિસ્તારોની સ્થિતિ જાણી રહ્યાં છીએ.

એક એહવાલ અનુસાર, પૂર પ્રભાવિત જીલ્લાઓમાં 32 હજારથી વધુ લોકોને અસર થઈ છે. જ્યારે 16 લોકોના મોત પણ થયા છે. મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી 4-4 લાખની સહાય આપવામા આવશે.

(12:00 am IST)