Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

શ્રીનગરમાં વડોદરાના ટૂરિસ્ટને અકસ્માત:કાર ખાઈમાં પડતા વંદનાબેનનું મોત:ડ્રાયવર સાહિત ત્રણ ઘવાયા

શ્રીનગરમાં અનંતનાગ વિસ્તાર પાસે ગુજરાતી ટુરીસ્ટને અકસ્માત નડતા વડોદરાના મહિલાનું મોત થયું છે. ઘટનામાં ડ્રાઇવર સહિત અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. પહલગામથી પરત આવી રહેલા વ્હીકલ પરથી ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર અકસ્માતગ્રસ્ત થઇ હતી.

    પ્રાપ્ત વિગત મુજબ શ્રીનગરના પહલગામથી ટૂરિસ્ટને એક કાર પરત આવી રહી હતી, કારમાં એક ગુજરાતી મહિલા પણ સવાર હતી, ટૂરિસ્ટને લઇને પરત આવતું વ્હીકલ કે પી રોડ પાસે પહોંચ્યું ત્યારે ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર ખાઇમાં પડી હતી. જો કે સમયે હાલ સ્થાનિક લોકોએ ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડ્યાં હતા.

   પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનામાં ગુજરાતી મહિલા વંદનાનું મોત નિપજ્યું છે. જ્યારે ડ્રાઇવર બસીર અહેમદ અન્ચારી, જ્યારે અન્ય ઘાયલ ટૂરિસ્ટમાં કેતુલ બ્રેટજી, યશા બ્રેટજીનો સમાવેશ થાય છે. તો મૃતક સહિત તમામ લોકો વડોદરાના રહેવાસી છે.

(12:00 am IST)