Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મારી પત્નિ કડવાચોથનું વ્રત નથી કરતીઃ હું વ્રત રાખવા દબાણ નહિ સમર્થન કરૂ છુ : આશુતોષ

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા ઉપર સોશ્યલ મીડીયામાં તડાપીટ

નવી દિલ્હીઃ આપના પૂર્વ નેતા અને પત્રકાર આશુતોષે કડવાચોથ અંગે ટવીટ કરતા તેના ઉપર તડાપીટ બોલી હતી. ટવીટમાં તેણે જણાવેલ કે મારી પત્નિ કયારેય પણ કરવા ચોથનું વ્રત નથી કરતી અને હું દબાણ પણ નથી કરતો કે તે રાખે, ઉલ્ટુ હું તેનુ સમર્થન કરૂ છું.  આ ટવીટ બાદ તેના પર લોકો રીતસર તુટી પડયા હતા.

આશુતોષના ટવીટ બાદ એક મહિલા યુઝરે આશુતોષને રાક્ષસ સાથે સરખાવી દીધા હતા. ટવીટમાં જણાવેલ કે તેનો અર્થ તુ (આશુતોષ) પોતે સમજી લે, પત્નિઓ પતિ દેવતા માટે વ્રત રાખે છે. કોઇ દાનવ માટે નહિ. આ પ્રકારના અનેક ટવીટ્ યુઝરો દ્વારા કરવામાં આવેલ.

(11:33 am IST)