Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મુંબઇના શ્રીમંત જીએસબી ગણપતિને રૂા. ૨૬૫ કરોડનું વીમા કવચ

મુંબઈ તા. ૧૭ : મુંબઈના સૌથી શ્રીમંત ગણપતિ એવા કિંગ સર્કલના જીએસબી સેવા મંડળે આ વર્ષે ૨૬૪.૮ કરોડ રૂપિયાનું વીમા કવચ લીધું છે. જે ગયા વર્ષે લેવામાં આવેલા રૂ.૨૬૪.૩ કરોડના વીમા કવચની તુલનામાં વધુ છે. જોકે, વર્ષ ૨૦૧૬માં લેવામાં આવેલા રૂ.૩૦૦ કરોડના વીમા કવચનો રેકોર્ડ હજુ યથાવત છે.

જીએસબી સેવા મંડળના સૂત્રોના જણાવ્‍યા અનુસાર સોના-ચાંદીના દાગીના અને રોડક સહિત પંડાલ, એક્‍ઝિબિશન એરિયા તેમ જ આગ સહિત ભૂકંપ અને ઇલેક્‍ટ્રિક કરંટ જેવી દુર્ઘટનાને વીમા કવચમાં આવરી લેવામાં આવી છે. આ મંડળ સાથે સંકળાયેલા ૨,૨૪૪ જેટલા કારીગર, સભ્‍ય અને સ્‍વયં સેવકોને પણ વ્‍યક્‍તિગત ૧૦ લાખ રૂપિયાનું અકસ્‍માત વીમાનું કવચ આપવામાં આવ્‍યું છે.

(10:20 am IST)