Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

લોકો ઓશોના વિચારો વાંચીને બોલે છે : પણ નામ નથી લેતા : બુદ્ધ પુરૂષો હંમેશ વિદ્રોહી હોય છે : પૂ.મોરારીબાપુ

ઓશો જયારે બોલતા ત્યારે તેમની વાણી નૃત્ય કરતી

પૂજય મોરારીબાપુ કહે છે કે ઓશો જેવુ હિન્દી વિશ્વમાં કોઈ ન બોલી શકે. ઓશો જયારે બોલતા ત્યારે તેમની વાણી પણ નૃત્ય કરતી. મને બે વખત ઓશોના દર્શનનો લાભ મળ્યો હતો. પહેલી વાર મુંબઈમાં અને બીજીવાર પુણેમાં પહેલી વાર મેં તેમને સાંભળ્યા ત્યારે કદાચ ઓશો ગીતાના ૧૦મા અધ્યાય પર પ્રવચન કરી રહ્યા હતા. બીજી વખત જયારે પુણેમાં તેમનું પ્રવચન સાંભળવા ગયો ત્યારે મારૂ દુર્ભાગ્ય તો ન કહેવાય પણ તે આખુ પ્રવચન ઈંગ્લીશમાં હતું. ઓશોનું ઈંગ્લીશ બહુ આકર્ષક હતું. પરંતુ તેમના શબ્દો ન સમજાય તો પણ ચિંતા નહોતી. ઓશોની વાણી એક નાદ જેવી હતી, જેનું શ્રવણ મને પ્રસન્ન કરતુ હતું અને મેં તેનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો. જો મને કોઈ કહે કે ઓશો વિદ્રોહી હતા તો હું ફકત એટલુ જ કહીશ કે બુદ્ધ પુરૂષ પુરૂષો હંમેશા વિદ્રોહી હોય જ છે. લોકો ઓશોના વિચારો વાંચીને બોલતા હોય છે, પરંતુ તેમનું નામ લેતા નથી.

(11:47 am IST)