Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 292

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

મહોરાઓ

‘‘તમે જે કઇપણ કરો તેમાં સચેત બની રહો. જો તમે મહોરૂ પહેરેલુ છે તો પણ સચેત બની રહો જાણી જોઇને પહેરો''

જો તમે દુઃખી છો અને કોઇ આવે છે અને તમે દુઃખી રહો છો તો તમે તેને પણ દુઃખી બનાવો છો તેણે કઇ જ કર્યું નથી તો તેને કારણ વગર શા માટે દુઃખી બનાવવો ? તમે હસો છો અને વાત કરો છો આ મોહરૂ છે. જયારે તે જતો રહે છે તમે ફરીથી દુઃખી બની જાવ છો આ એક સામાજીક રીતભાત છે. જો તમે સચેત રહીને કરો તો કોઇ સમસ્‍યા નથી.

વ્‍યકિતએ ઘણા મહોરાઓનો ઉપયોગ કરવો પડે છે.કોઇ આવે છે અને પુછે છે કે તમને કેમ છે અને તમે તેને તમારી બધી  જ સમસ્‍યાઓ કહેવા લાગો છો તેણે તેના માટે તમને પુછયુ નહોતું હવે એક કલાક તેને સાંભળવું પડશે. તે વધારે પડતું છે બીજીવાર કદાચ તે તમને પુછશે નહી.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:24 am IST)