Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આઝમખાન અકોણાઇ છોડતા નથી :ભોપાલમાં પત્રકારો પર ભડક્યા

કહ્યું કે, મને રોકવાની કોશિશ કરશો તો તમારી વિરૂદ્ધ એફઆઈઆર પણ થઈ શકે છે

ભાજપના નેતા અને રામપુરથી ઉમેદવાર જયા પ્રદા અંગે આપેલા નિવેદન બાદ આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ભોપાલની મુલાકાતે આવેલા આઝમ ખાનને  એરપોર્ટ પર પત્રકારોએ સવાલ પૂછતા તેઓ ભડક્યા હતા.

 તેમણે મીડિયા કર્મચારીએને રસ્તો આપવા અપીલ કરી પરંતુ તેમણે વિવાદિત નિવેદન અંગે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

   તેમણે કહ્યું કે, મને રોકવાની કોશિશ કરશો તો તમારી વિરૂદ્ધ એફઆઈઆર પણ થઈ શકે છે. જે બાદ તેઓ એરપોર્ટ અંદર જવા રવાના થઈ ગયા હતા

  અત્રે ઉલ્લેખનીય છે કે આઝમ ખાને એક જનસભામાં જયા પ્રદા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું જે બાદ તેમની વિરૂદ્ધ ચૂંટણી પંચે કાર્યવાહી કરતા ત્રણ દિવસ સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકી દીધો હતો.

(12:58 pm IST)