Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

મેં અડવાણીને કોઇ પત્ર લખ્યો નથી ચુંટણી પંચ સમક્ષ તપાસની માંગણી

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીએ અડવાણીને કોઇ પત્ર લખ્યાનો ઇન્કાર કર્યો છેઃ તેમણે ચૂંટણી પંચને પત્ર લખી તેમના નામે સોશ્યલ મીડીયામાં ચાલી રહેલા નકલી પત્રની તપાસ કરાવવા માંગણી કરી છે. આ નકલી પત્રમાં એવું છે કે ચૂંટણીમાં ભાજપ હારશેઃ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૯૧ માંથી ભાજપને માત્ર ૮ થી ૧૦ બેઠકો મળશેઃ આમ ભાજપને ૧ર૦ થી વધુ બેઠકો નહી મળેઃ આ પત્રમાં તેમણે એવું પણ કહયાનો ઉલ્લેખ છે કે મને બસપા-સપાએ ટીકીટની ઓફર કરી છેઃ આ પત્ર નકલી છે જેની તપાસની તેમણે માંગણી કરી છે

 

(3:44 pm IST)