Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

શર્મિલા ટાગોર કોંગ્રેસ ટિકીટ ઉપર જૂકાવશે!

હિન્દુ-મુસ્લિમ બન્ને મતો મેળવવા ગણત્રી

નવીદિલ્હી, તા.૧૬: જેમ જેમ લોકસભા ચૂંટણી ૨૦૧૯ નજીક આવી રહી છે તેમ તેમજ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દરરોજ ૨ મુખ્ય પાર્ટીઓ, ભાજપ-કોંગ્રેસના વિવિધ બેઠકો પરના ઉમેદવારો અંગેની ચર્ચાઓ ઉત્સુકતા જગાવી રહી છે.

દ્યણાં બોલિવૂડ સિતારાઓ પણ લોકસભા ૨૦૧૯દ્મક રાજકારણમાં પ્રવેશશે તેવી અટકળો તેજીમાં છે, ત્યારે હવે આ લિસ્ટમાં અન્ય એક જાણીતા સેલિબ્રિટીનું નામ પણ જોડાઈ ચૂકયું છે. જે છે શર્મિલા ટાગોર.

મોહમ્મદ મંસૂર અલી ખાન પટૌડીના પત્ની અને સૈફઅલી ખાનના માતા શર્મિલા ટાગોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રાજકીય અખાડામાં પ્રવેશશે તેવા સમાચારો હાલ મળી રહ્યા છે. શર્મિલા ટાગોરને ચૂંટણીના મેદાનમાં ઉતારવા પાછળનો તર્ક એ અપાઈ રહ્યો છે કે તેઓ મુસ્લિમ સમુદાયની સાથે હિંદુઓના વોટ પણ મેળવી શકે છે.

ઉપરાંત, તેઓ પંજાબી સમુદાયના પણ ખાસ્સા મત ખેંચી શકે તેમ છે. તેની પાછળનું કારણ અપાઈ રહ્યું છે કે તેમના ફિલ્મ સ્ટાર દીકરા સૈફની પત્ની કરીના કપૂર ખાન પંજાબી સમાજની છે અને તેનો લાભ શર્મિલા ટાગોરને મળી શકે છે.

હાલ ચાલી રહેલી અટકળો પ્રમાણે, શર્મિલા ટાગોર ગુરૂગ્રામ બેઠક પરથી કોંગ્રેસની દાવેદારી કરી શકે છે.(૨૨.૧૩)

(3:25 pm IST)