Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

યુપીમાં ટ્રક અને વાન વચ્ચે ભયંકર ટક્કર વાગતા ભભૂકી આગ: 7 લોકો જીવતા ભુંજાયા

ઉન્નાવ નજીક ગમખ્વાર અકસ્માત: મૃતદેહોનો ઓળખ મેળવવા પ્રયાસ

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે ટ્રક અને વાન વચ્ચે ભયંકર ટક્કર લાગ્યા બાદ આગ ભભૂકી ઉઠતા 7 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા આ ઘટના કોતવાલી બાંગારમઉના આગ્રા લખનઉ એક્સપ્રેસ વે ટોલ પ્લાઝા સામે બની હતી. જોકે, મૃતકોની સંખ્યાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કહેવામાં આવી રહ્યું છે કે, વિરૂદ્ધ દિશામાં ચાલતી વાન અને ટ્રક એકબીજા સાથે ટકરાઈ હતી. અકસ્માત બાદ વાનને આગ લાગી હતી. આ ઘટનામાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે મૃતકોની સત્તાવાર પુષ્ટિ હજી થઈ નથી.

આગનો ગોળો બનેલી વાનમાં 7 લોકો જીવતા બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે ટ્રકને આગ લાગી હતી, જ્યારે ડ્રાઇવર અને ક્લિનર તેને સળગતો છોડીને જ નાસી છૂટયો હતો. પોલીસની સુચના પર ફાયર બ્રિગેડના ત્રણ વાહનોએ આગ પર કાબૂ મેળવ્યો અને વાનની અંદરથી સાત મૃતદેહો મળી આવ્યા. મૃતદેહોને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

(10:19 pm IST)