Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

વેટિકનની મોટી જાહેરાત : ચર્ચ સજાતીય સંગઠનોને આશીર્વાદ નહીં આપે : ઈશ્વર પાપને આશીર્વાદ આપી શકે નહીં

આવા લગ્નોને ધર્મ માન્યતા આપતા ન હોવાથી તેને ઈશ્વરના આશીર્વાદ ન મળી શકે.

રોમ : વેટિકન સિટીના નિવેદનમાં કહેવાયું હતું કે વેટિકન ચર્ચ સજાતીય સંગઠનોને આશીર્વાદ આપશે નહીં. કારણ કે ઈશ્વર પાપને આશીર્વાદ આપી શકે નહીં. વેટિકનની એક નોંધમાં સ્પષ્ટતા થઈ હતી કે સજાતીય સંગઠનો ઈશ્વરની યોજનાનો ભાગ નથી. આવા લગ્નોને ધર્મ માન્યતા આપતા ન હોવાથી તેને ઈશ્વરના આશીર્વાદ ન મળી શકે.
જોકે, સજાતીય લોકો ચર્ચમાં આવીને આશીર્વાદ લઈ શકે છે તે બાબતે પૂછવામાં આવતા ચર્ચના પ્રતિનિધિઓએ સ્પષ્ટતા કરી હતી કે વ્યક્તિગત આશીર્વાદને સંગઠન સાથે કોઈ જ જોડાણ નથી. સંગઠનો આવા સંબંધોને ઉત્તેજન આપતા હોવાથી સંગઠનોને આશીર્વાદ મેળવવાનો અધિકાર નથી.
વેટિકનના આ નિવેદન પછી તુરંત જ એલજીબીટી સંગઠનોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું. સજાતીય સંબંધો ધરાવતા લોકોને પણ ચર્ચમાં સામાન્ય લોકો જેટલું જ સમ્માન મળવું જોઈએ એવી દલીલો થવા લાગી હતી.

(11:45 pm IST)