Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પંજાબમાં કૂદકે ને ભૂસકે કોરોના કેસમાં વધારો: આજ સવાર સુધીમાં ૧૪૪૨ કેસ સામે આજે રાત્રિ સુધીમાં ૧૮૪૩ કેસ નોંધાયા

પંજાબમાં પણ હવે દિવસે દિવસે કોરોના કેસમાં સતત વધારો થતો હોય ચિંતા ફેલાયેલ છે. આજે સવાર સુધીમાં ૧૪૪૨ કોરોના કેસ નોંધાયેલા જ્યારે રાત્રિ સુધીમાં નવા ૧૮૪૩ કેસ નોંધાયા છે. પંજાબમાં કુલ કોરોના કેસ બે લાખે પહોંચવા આવ્યા છે ત્યારે મૃત્યુ આંક, ૨૭ વધુ મૃત્યુ સાથે ૬૦૯૯ થયો છે અને રાજ્યમાં આજની ઘડીએ ૧૧૯૪૨ એક્ટિવ કોરોના કેસ છે. પંજાબમાં આકરા પગલાં તોળાઇ રહ્યા છે. એક સર્વે મુજબ પંજાબની ૨૪ ટકા વસ્તી કોરોના અસરગ્રસ્ત બની ગઈ છે. તો ૯૬ ટકા વસ્તી એસિમ્પટોમેટીક જોવા મળી છે.

(11:29 pm IST)