Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

મંદિરે દર્શન કરવા માટે હું કારની બહાર ઊભી હતી ત્યારે કેટલાક લોકોએ કાર પાસે આવી દરવાજાને ધક્કો મારતા દરવાજો મારા પગ સાથે ભટકાયેલ: મમતા બેનર્જી

કોલકત્તા: મોડી રાત્રે મમતા બેનર્જીએ કહ્યું છે કે મારી મોટરની બહાર હું ઉભી હતી અને કારણો દરવાજો ખુલ્લો હતો. હું મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહી હતી. ત્યારે જ  કેટલાક લોકો મારી કારની આસપાસ આવ્યા અને દરવાજાને ધક્કો માર્યો, આથી દરવાજો મારા પગ સાથે અથડાયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આજે આ સ્પષ્ટતા મોડેથી કરી છે. આ પહેલા ચૂંટણી પંચે કહ્યું હતું કે મમતા બેનર્જી ઉપર કોઈ હુમલો થયો નથી પરંતુ ઝેડ પ્લસ કેટેગરીના નિયમોનું ઉલ્લંઘન થયું છે અને તે માટે જવાબદાર ઠેરવી ત્રણ ટોચના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ સામે બદલી અને સસ્પેન્સનના પગલાં લેવામાં આવ્યા હતા. મમતાજી આ અંગેનો જવાબ  આપી રહ્યાનું મનાય છે.

(11:06 pm IST)