Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કોરોના ગાઈડલાઈન ઉલ્લંઘન બદલ અભિનેત્રી ગૌહરખાન સામે FIR

મુંબઈમાં અનેક ફિલ્મ સ્ટાર કોરોનાની ચપેટમાં : કોરોના પોઝિટિ આવ્યા બાદ પણ અભિનેત્રીએ નિયમોનું પાલન ન કરતાં બીએમસીએ તેની વિરુદ્ધ પગલું ભર્યું

મુંબઈ, તા. ૧૫ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. એક પછી એક ફિલ્મી સ્ટાર પર કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. આ દરમિયાન બીએમસીએ અભિનેત્રી ગૌહર ખાન વિરુદ્ધ કોરોના વાયરસની ગાઇડલાઇનના ઉલ્લંઘનના આરોપમાં એફઆઇઆર દાખલ કરાવી છે. ગૌહર ખાને કોરોના પોઝિટિવ થયા બાદ પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કોરોના પોઝિટિ આવ્યા બાદ પણ અભિનેત્રીએ નિયમોનું પાલન ન કરતાં બીએમસીએ તેની વિરુદ્ધ પગલું ભર્યું છે. બીએમસીએ કોવિડ ગાઇડલાઇનનું પાલન ન કરવા બદલ અભિનેત્રી ગૌહર ખાન વિરુદ્ધ મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. મુંબઇ પોલીસે આ અંગે પુષ્ટિ કરતાં કહ્યું કે, આ મામલે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં જુદી-જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે મુંબઇ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરાઇ રહી છે.

બીએમસીએ ટ્વિટ કરતાં લખ્યું કે, ગાઇડલાઇન્સના નિયમ તમામ માટે સરખી રીતે લાગુ થશે. આવામાં અમે આગ્રહ કરીએ છે કે, તમામ વાયરસને હરાવવામાં અમારો સાથ આપે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીએ મહારાષ્ટ્રમાં જોર પકડ્યું છે. આવામાં બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર, મનોજ વાજપેયી, સંજય લીલા ભણસાલી, આશીષ વિદ્યાર્થી, એશ્વર્યા શર્મા સહિત ઘણા સેલેબ્સ કોરોના સંક્રમિત થયા છે.

(8:28 pm IST)