Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

જમ્‍મુ-કાશ્‍મીરઃ ૩ દિવસથી ચાલતા એન્‍કાઉન્‍ટરમાં જૈશ કમાન્‍ડર સજ્જાદ અફઘાની સહિત બે આતંકી ઠાર

સેનાને મળી મોટી સફળતા

શ્રીનગર, તા.૧૫: જમ્‍મુ-કાશ્‍મીરના શોપિયામાં રાવરપોરા વિસ્‍તારમાં ૩ દિવસથી ચાલતા એન્‍કાઉન્‍ટરમાં સેનાએ સોમવારે જૈશ-એ-મોહમ્‍મદના કમાન્‍ડર સજ્જાદ અફઘાનીને ઠાર કર્યો છે. અફઘાની યુવકોને આતંકી સંગઠનમાં સામેલ કરતો હતો. સેનાએ ૧૩ માર્ચથી શરૂ થયેલા ઓપરેશનના બીજા દિવસે એટલે કે રવિવારે એક આતંકીને ઠાર કર્યો હતો. કાશ્‍મીર IGPએ આનો ખુલાસો કર્યો છે.

રવિવારે ઠાર કરવામાં આવેલા આતંકીની ઓળખ લશકર-એ-તોઈબા સાથે જોડાયેલા જહાંગીર અહમદ વાણી તરીકે કરવામાં આવી ચે. તે શોપિયાના રાખ નારાપોરા એરિયામાં રહેતો હતો. જહાંગીર ગયા વર્ષે સપ્‍ટેમ્‍બરથી એક્‍ટિવ હતો. અથડામણ વાળી જગ્‍યાથી USA મેડ M4 કાર્બાઈન રાઈફલ પણ મળી હતી. આ રાઈફલનો ઉપયોગ અમેરિકન સેના પણ કરતી હતી.

(5:03 pm IST)