Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્નીઃ મેડિકલ તપાસ કરાવતા તે કિન્નર હોવાનું ખુલતા પતિ અવાચક

લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે સંબંધ ન બની શકયા. પતિ જયારે પણ પત્ની પાસે જતો ત્યારે પત્ની દૂર જતી રહેતી હતી. જયારે જયારે પતિ પોતાની પત્નીની નજીક જવાની કોશિશ કરતો હતો તો તેની પત્ની કોઈના કોઈ બહાનું બનાવીને તેનાથી દૂર જતી રહેતી હતી

મુઝફરપુર,તા. ૧૫: ઉત્ત્।ર પ્રદેશમાં એક યુવકના પાંચ મહિના પહેલા એક યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે સંબંધ ન બની શકયા. પતિ જયારે પણ પત્ની પાસે જતો ત્યારે પત્ની દૂર જતી રહેતી હતી. જયારે જયારે પતિ પોતાની પત્નીની નજીક જવાની કોશિશ કરતો હતો તો તેની પત્ની કોઈના કોઈ બહાનું બનાવીને તેનાથી દૂર જતી રહેતી હતી. અનેક દિવસો સુધી આવું ચાલતું રહ્યું હતું. યુવકના દ્યરના લોકો આ અંગે અજાણ હતા.

પતિ પણ પોતાની પત્નીની આવી હરકતના કારણે અજાણ હતો. શંકા જતાં પતિએ પત્નીની તપાસ કરવાતા પત્નીનો મેડિકલ રિપોર્ટ જોઈને પતિ સહિત પરિવારના હોશ ઉડી ગયા હતા. હકીકત સાંભળીને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જયારે આ અંગે છોકરા પક્ષના લોકો યુવતીના પતિના કહેવા ગયા તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

મુઝફ્ફરનગરના બડા બજાર વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન આશરે પાંચ મહિના પહેલા સહારનપુરમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્નના બે દિવસ પછી જયારે યુવક પોતાની દુલ્હનના રૂમમાં પહોંચ્યો તો તે દંગ રહી ગયો હતો. જે યુવતીની સાથે જિંદગી વિતાવવાના સપના યુવકે જોયા હતા તે એક પલમાં જ તૂટી ગયા હતા.

જયારે પતિને ખબર પડી કે જે યુવતીને તે પોતાની પત્ની બનાવીને પોતાની સાથે લાવ્યો છે અસલમાં તે એક કિન્નર છે. કિન્નરે યુવકને કહ્યું કે જો તે કિન્નર વાળી વાત કોઈને કહે છે તો આખા પરિવારને ખોટા કેસાં જેલ ભેગા કરી દેશે. થોડા દિવસ બાદ પરિવારના લોકોને આખા પ્રકરણની જાણકારી થઈ ગઈ પરંતુ કિન્નરની ધમકીના કારણએ તેઓ કંઈ બોલ્યા નહીં. તેને લઈને પાંચ મહિના સુધી અલગ અલગ ડોકટોર સાથે ઉપચાર કરાવતા ફરતા રહ્યા હતા.

પરિવારના લોકોને જયારે યુવતી કિન્નર હોવાની જાણ થઈ તો યુવતીથી પીછો છોડાવવા માટે કોર્ટમાં છૂટાછેડાની અરજી નાંખી હતી. શુક્રવારે જયારે કિન્નર યુવતીને તલાક અંગે જાણવા મળ્યું તો તેણે પોલીસને ફોન કરીને ઘરે બોલાવી હતી અને આ આખો મુદ્દો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

ખૂબ હંગામા બાદ કિન્નરે કહ્યું કે જો પતિ તેને છૂટાછેડા આપવાનો પ્રયત્ન કરશે તો તે નહેરમાં કૂદીને આત્મહત્યા કરી લેશે. ધમકી આપ્યાબાદ કિન્નર પોલીસ સ્ટેશનથી નીકળીને નહેર તરફ દોડવા લાગ્યો હતો. યુવકે કિન્નર સાથે લગ્ન કરવાની વાતને લઈને આખો કિસ્સો ટોક ઓફ ટાઉન રહ્યો હતો.

યુવકના પરિવારના લોકોનો આરોપ છે કે યુવતીના પરિવારના લોકોએ તેમને અંધારામાં રાખ્યા હતા. અને યુવતી કિન્નર હોવાની વાત સંતાડી હતી. અને તેમના પુત્ર સાથે લગ્ન કરાવી દીધા હતા.

(9:51 am IST)