Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ધો.૭ના વિદ્યાર્થી સાથે પરિણીત મહિલાને થયો પ્રેમ : ત્રણ બાળકો અને પતિને છોડી થઈ ફરાર

ગામમાં મહિલાને ૧૬ વર્ષના કિશોર સાથે પ્રેમ થયો હતો : પ્રેમ ત્રણ વર્ષ પહેલાથી થયો હતો જયારે તેની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી : બંને સાથે હરતા ફરતા હતા : પરંતુ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે બંને વચ્ચે પ્રેમ આટલો બંધો ગાઢ બનશે

ગોરખપુર,તા. ૧૫: ઉત્ત્।ર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં રવિવારે એક હેરાન કરનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કેપિયરગંજ વિસ્તારમાં ત્રણ બાળકોની માતા પોતાના બાળકો અને પતિને છોડીને સાતમાં ધોરણમાં ભણતા વિઘાર્થી સાથે ફરાર થઈ ગઈ હતી. મહિલા ગાયબ થવા પર પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ શરૂ કરી હતી ત્યારે કિશોરની ઉંમર માત્ર ૧૬ વર્ષની છે. કિશોરની માતાએ કેપિયરગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. પોલીસે કેસ નોંધીને કિશોરની શોધખોશ શરૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે કેપિયરગંજ પોલીસ સ્ટેશનના એક ગામમાં મહિલાને ૧૬ વર્ષના કિશોર સાથે પ્રેમ થયો હતો. પ્રેમ ત્રણ વર્ષ પહેલાથી થયો હતો જયારે તેની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી. બંને સાથે હરતા ફરતા હતા. પરંતુ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે બંને વચ્ચે પ્રેમ આટલો બંધો ગાઢ બનશે.

ગામના કેટલાક લોકો કિશોર સાથે ભાગી જવાની પણ વાત જણાવી હતી. હવે મહિલાનો મોબાઈલ પણ બંધ આવે છે. મહિલાના ત્રણ બાળકો છે જેની ઉંમર ૭, ૫, ૩ વર્ષ છે.

આ વિસ્તારમાં શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે. અહીં તે ફરવા લઈને આવ્યો હતો. અને બંને ઘર પરત ફર્યા ન હતા. મહિલા ઘરે ન આવવાના કારણે પતિ પરેશાન હતો. અને શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જાણ કરી હતી. જયારે બીજી તરફ કિશોરની માતાએ પણ પોતાના પુત્રની ગાયબ થવાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી.

જયાં કિશોરને લઈને ફરાર ત્રણ બાળકોની માતા ઉપર પોલીસે અપહરણનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી. અને વધુ તપાસ હાથધરી હતી. આ મામલામાં એસપી નોર્થ મનોજ અવસ્થીના જણાવ્યા પ્રમાણે કિશોરની માતાની ફરિયાદના આધારે કેપિયરગંજ પોલીસ સ્ટેશનમાં કલ ૩૬૩ આઈપીસી અંતર્ગત અપહરણની ફરિયાદ નોંધી છે.

એસપી નોર્થે જણાવ્યું કે ફરિયાદ નોંધવાની સાથે જ પોલીસ કિશોરની શોધખોળ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. તેમને આશા છે કે કિશોર ઝડપથી મળી જશે. જોકે અત્યારે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ત્રણ બાળકોની માતા ફરાર થવાની ઘટના ચર્ચાનો વિષય બની છે.

(9:51 am IST)