Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કોંગ્રેસ નેતા ડો.કરણસિંહે એક કાર્યક્રમમાં પીએમ મોદીને મોંઢે કહ્યું કે તમે વાયદાઓ કરશો તો લોકો પુરા કરવાનું કહેશે જ

ગીતાના શ્લોકો પર 21 વ્યાખ્યાઓનું પીએમ નિવાસસ્થાને થયું વિમોચન: કોંગ્રેસ નેતા ડો.કરણસિંહે મોદીને ગીતાનો સાર સમજાવ્યો

નવી દિલ્હી : ગીતાના શ્લોકો પર 21 વ્યાખ્યાઓના 11 મા સંસ્કરણના વિમાચન પ્રસંગે વડાપ્રધાન મોદીની બાજુમાં બેઠેલા ડો.કરણસિંહે ગીતાના એક શ્લોકનો સાર સમજાવીને જણાવ્યું કે મોદીજી તમે આશ્વાસન આપશો તો લોકો પુરા કરવાનું જણાવશે. 

વડાપ્રધાન નિવાસ પર આયોજિત કાર્યક્રમમાં ડો.કરણસિંહે વડાપ્રધાન મોદીને કહ્યું કે જો તમે લોકસભામાં કોઈ વાતનું આશ્વાસન આપો તો એક વર્ષ બાદ લોકો તમને કહેશે કે હવે તેનું પુરુ કરો

કરણસિંહે કહ્યું કે અમે શ્રીકૃષ્ણને આવી જ રીત વાંસળી વગાડતા જવા દઈએ. તેમને બાંધવાની એકમાત્ર રીતે ભક્તિ છે. વડાપ્રધાન મોદીની હાજરીમાં કરણસિંહે કહ્યું કે જો આપણે ભગવાનની જરુર હોય તો ભગવાનને પણ આપણી જરુર હોય છે. માનવ સહયોગ વગર ભગવાનનું કામ પુરુ થઈ શકતું નથી.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પણ લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે આપણે લોકોને કહેવું જોઈએ કે ગીતાએ આઝાદીના લડાઈમાં કેવી ભૂમિકા ભજવી હતી. કેવી રીતે ગીતાએ આખા દેશને એક તાંતણે બાંધી રાખ્યો હતો. પીએમ મોદીએ યુવાનોને ગીતા પર શોધ કરવાનું પણ આમંત્રણ આપ્યું. 

(12:00 am IST)