Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

શહીદ ઔરંગઝેબને શૌર્ય ચક્ર અપાશે

નવીદિલ્હી,તા.૧૪: સાહસ અને વિરતા માટે મેજર આદિત્યકુમાર અને રાયફલ મેન ઔરંગઝેબ સહિત ૨૦ને શૌર્ય ચક્ર આપવામાં આવશે. હિઝબુલ ત્રાસવાદી સમીરને મોતને ઘાટ ઉતારી દેનાર ટીમમાં સામેલ ઔરંગઝેબનું કાશ્મીરમાં અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. મેજર આદિત્ય સોપિયનમાં પથ્થરબાજી કરતી ભીડ પર ગોળીબારના કારણે ચર્ચામાં આવ્યા હતા. દરિયાઈ પરિક્રમા કરી ચુકેલા નેવીની છ મહિલાઓને વીરતા ચક્ર અપાશે. ગડવાલ રાયફલમાં તૈનાત મેજર આદિત્યને શૌર્યચક્ર અપાશે. જવાનોને બચાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને પાંચ શૌર્ય ચક્ર, બે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવામાં આવશે.

(9:31 pm IST)