Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

દિલ્લીમાં કોંગ્રેસના ઘોર પરાજય પર પ્રિયંકા ગાંધી બોલ્યા, જનતા જે કરે છે તે બરાબર છેઃ અમારા માટે સંઘર્ષનો સમય છે

         દિલ્લી વિધાનસભા ચુંટણી પરિણામ ર૦ર૦ આ ચૂંટણીમાં કોંગ્રેસનો ઘોર પરાજય થયો. પાર્ટીના ૬૩ ઉમેદવાર પોતાની ડિપોઝીટ પણ બચાવીશકયા નહી. પાર્ટીના ઘોર પરાજય પર ચૂંટણી પછી પ્રથમ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે પ્રિયંકાએ બુધવારના કહ્યું જનતા જે કરે છે તે બરાબર કરે છે. આ અમારા માટે સંઘર્ષનો સમય છે.

         કોંગ્રેસ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે  પ્રિયંકાએ કહ્યું કે અમારે ખૂબજ સંઘર્ષ કરવાનો છે અમે કરીશુ. કોંગ્રેસા  બધા દિગ્ગજો હારી ગયા ફકત ત્રણ ઉમેદવારોને છોડી બધાની ડીપોઝીટ જપ્ત થઇ ગઇ.

 

(11:11 pm IST)