Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સો વેચાશે

નવીદિલ્હી, તા. ૧૨ : મોદી સરકાર એર ઇન્ડિયામાં પોતાની ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવા જઈ રહી છે. કેન્દ્રીયમંત્રી હરદીપસિંહ પુરીએ આજે સંસદમાં આ અંગેની માહિતી આપી હતી. રાષ્ટ્રીય વિમાન કંપની ઉપર ૫૦૦૦૦ કરોડનું દેવું થયેલું છે. એર ઇન્ડિયા ઉપર નુકસાન સતત વધી રહ્યું છે. લોકસભામાં આજે માહિતી આપતા હરદીપ પુરીએ વિગતવાર રજૂઆત કરી હતી.

(9:56 pm IST)