Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ રામલ્લાના મુખ્ય પુજારીના ઘરની સુરક્ષા વધારાઈ

મહંત સત્યેન્દ્રદાસના ઘરની બહાર એક ડઝનથી વધુ પોલીસ જવાનોને તૈનાત

નવી દિલ્હી : અયોધ્યા વિવાદ અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે ચુકાદો આવ્યાના એક દિવસ બાદ રામલલાના મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહંત સત્યેન્દ્રદાસના ઘરની બહાર એક ડઝનથી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ મહંત સત્યેન્દ્રદાસે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. તેમજ દેશમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા અપીલ કરી છે

(12:00 am IST)