Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને ઈલાજ માટે લંડન લઇ જવાશે : 27મી નવેમ્બરે પરત ફરશે

તેમની એર ટિકિટ કન્ફર્મ થઇ ગઇ: ખરાબ તબિયતને કારણે લંડન લઇ જવા નિર્ણંય

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને સોમવારે સારવાર માટે લંડન લઇ જવામાં આવશે. સૂત્રો મુજબ તેમની એર ટિકિટ કન્ફર્મ થઇ ગઇ છે અને તેઓ 27 નવેમ્બરે પાકિસ્તાન પરત ફરશે. ઇમરાન ખાનના વિશેષ સહાયકે મીડિયાને જણાવ્યું કે સરકારે નવાઝ શરીફના મેડિકલ રિપોર્ટ જોયા છે. તેમનું ખરાબ સ્વાસ્થ્ય જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે

   તેમણે કહ્યું કે દરેક પાકિસ્તાનીનો અધિકાર છે કે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સારવાર કરાવે. આ કોર્ટે નક્કી કરવાનું હતુ કે શરીફને સારવાર માટે કેટલો સમય આપવામાં આવે. પૂર્વ વડાપ્રધાન શરફની છેલ્લા બે સપ્તાહ સુધી સર્વિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જે બાદ તેમના ઘરમાં આઇસીયુની વ્યવસ્થા કરવામાં આવી. અને ત્યાં તેમને શિફ્ટ કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)