Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નેશનલ હેરાલ્ડે પ્રશ્નો કર્યા

કોંગ્રેસ માફી માંગે : સંબીત પાત્રા

નવી દિલ્હી, તા.૧૦ : અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને કોંગ્રેસ સાથે જોડાયેલા અખબાર નેશનલ હેરાલ્ડ તરફથી ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. અયોધ્યાના ચુકાદા પર નેશનલ હેરાલ્ડે સુપ્રીમ કોર્ટને લઇને જ પ્રશ્નો ઉઠાવ્યા છે. ભાજપના પાર્ટી પ્રવક્તા સંબીત પાત્રાએ કહ્યું છે કે, અખબારમાં એક લેખ લખીને કહેવામાં આવ્યું છે કે, આચુકાદો અમને પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટની યાદ અપાવે છે. આ ખુબ જ ખતરનાક અને શરમજનક છે. કોંગ્રેસ પાર્ટીએ આના માટે માફી માંગવી જોઇએ. કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. સાથે સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ પણ કરી છે પરંતુ પોતાની સાથે જોડાયેલા અખબારમાં લેખના પરિણામ સ્વરુપે કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે. સંબીત પાત્રાએ કહ્યું છે કે, અખબારે લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ આવા જ ચુકાદાની ઇચ્છા રાખી રહ્યા હતા.

(12:00 am IST)