Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

એ બાળકનું મોત દેખાવોને લીધે નહિ, તેના મા-બાપે મોડું કરતા થયેલ

ઉતર પ્રદેશના કલેકટરની સ્પષ્ટતા

નવી દિલ્હી તા.૧૧: ગઇકાલે મોદી સરકાર વિરૂધ્ધ જોરદાર પ્રદર્શન જોવા મળ્યા ત્યારેજ આ દેખાવો દરમ્યાન એક સમાચાર આવ્યા કે આ વિરોધ પ્રદર્શનમાં ફસાઇ જવાથી એક બાળકનું મોત થયું.

જોકે હવે જહાનાબાદના જીલ્લા મેજીસ્ટ્રેટે સમાચારનું ખંડન કરીને સચ્ચાઇ જણાવી છે. ભારત બંધમાં બાળકનું મોત થયાના સમાચાર બાબતે ભાજપા કોંગ્રેસ પર સતત પલટવાર કરી રહી છે, અને આ મામલે ઘણી ધમાલ પણ જોવા મળી છે. પણ આ ભારત બંધ પ્રદર્શનના કારણે બાળકનું મોત નથી થયુંએવી જાણકારી એસડીઓ એ પોતે આપી છે ત્યારપછી હવે જહાનાબાદના કલેકટર અલોક રંજને પણ આ મામલે આગળ આવીને સત્ય જણાવ્યું છે

(3:46 pm IST)