Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

વરિષ્ઠ પત્રકાર તથા ધ હિન્દુ બિઝનેસ લાઇનના નિવાસી તંત્રી મોની કે.મેથ્યુની ચિર વિદાયઃ ૭ ઓગ. ૨૦૧૮ના રોજ ૬૬ વર્ષેની વયે અંતિમ શ્વાસ લીધા

કર્ણાટકઃ સુપ્રસિધ્ધ ફાઇનાન્શીઅલ એકસપ્રેસના પૂર્વ નિવાસી તંત્રી તથા 'ધ હિન્દુ બિઝનેસ લાઇન વર્તમાનપત્રના પૂર્વ સિનીઅર આસીસ્ટન્ટ એડિટર મોની રે,મેથ્યુંનું મંગળવાર ૭ ઓગ.ના રોજ ૬૬ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે.  તેમના અંતિમ સંસ્કાર બુધવારે કાલિકટ યુનિવર્સિટી નજીક આવેલા સેંટ મેરી ચર્ચ, કોહિનૂરમાં બપોરે ૩ વાગ્યે કરાયા હતા. ૧૯૭૦ની સાલમાં ઇન્ડિયન એકસપ્રેસમાં ટ્રેઇની જર્નાલીસ્ટ તરીકે જોડાયેલા સ્વ.મેથ્યુ સિનીઅર સબ એડિટર પદ સુધી પહોંચી હૈદબાદમાં સ્થાયી થયા હતા.

ફાઇનાન્સ વિષય ઉપર લખતા પહેલા તેઓ કલ્ચર, સિનેમા, સ્પોર્ટસ સહિતની કોલમો ઉપર લખતા હતા. બાદમાં તેઓ ચેન્નાઇ મુકામે ફાઇનાન્શીઅલ એકસપ્રેસમાં બ્યુરો ચિફ તરીકે જોડાઇ ગયા હતા તથા આગળ જતા તેમને નિવાસી તંત્રી બનાવાયા હતા.

બાદમાં તિરૃવનંતપુરમ મુકામે તેઓ ધ હિન્દુ બિઝનેસ લાઇનમાં જોડાયા હતા. જયાં લાંબો સમય સેવાઓ આપ્યા બાદ તેઓ ૨૦૧૨ની સાલમાં નિવૃત થઇ કોજીકોડમાં સ્થાયી થયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(7:48 pm IST)