Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

BOB માં ભળેલી દેના-વિજયાની વહીવટી કચેરીનો સમય બદલાયો

સવારે ૯ થી બપોરના ૪ વાગ્યા સુધીનો સમય

વડોદરા, તા.૧૧: બેંક ઓફ બરોડામાં ભળેલી દેના અને વિજયા બેંકની એડમિનિસ્ટ્રટિવ ઓફિસનો સમય હવે કામગીરી સરળ રહે તે માટે બદલી નાંખવામાં આવ્યો છે. હવે બેંક ઓફ બરોડામાં એડમિનિસ્ટ્રટિવ ઓફિસના ચાલતા સમય મુજબ એટલે કે સવારે ૯ થી બપોરના ૪ સુધી કરી દેવામાં આવ્યો છે. ૧લી મેથી હવે નવો સમય અમલી બનાવવામાં આવ્યો છે.

અત્યાર સુધી દેના અને વિજયા બેંકની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસનો સમય સવારે ૧૦ થી સાંજના પ સુધી રહેતો હતો.

દેના બેંકના મુંબઇ ખાતે ફરજ બજાવતા કેટલાક જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરોની બદલી પણ વડોદરા ખાતે બરોડા હાઉસની વડી ઓફિસ ખાતે કરી દેવામાં આવી છે.

ટુંકી મુદતથી બદલી કરી દેવામાં આવી હોવાના પગલે મુંબઇથી વડોદરા ખાતે હાજર થવા આ ઉચ્ચ અધિકારીઓને દોડધામ કરવી પડી હતી.

બેંકિગ સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક અધિકારીઓને તો છેલ્લી ઘડીએ ટ્રેનના રિઝર્વેશન ન મળતાં બાય રોડ વડોદરા આવવું પડયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ બ્રાન્ચ રેશનલાઇઝેશન કાર્યક્રમ પણ આગામી સમયમાં અમલી બનાવવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

દરમિયાનમાં સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઇ ખાતે બેંક ઓફ બરોડાના એમડી પી.એસ.જયકુમાર તો ઘણી વખત દેનાબેંકના બાન્દ્રા-કુર્લા ખાતેના વડા મથકે જઇને અધિકારીઓને કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરે છે.(૨૩.૬)

(11:26 am IST)