Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અલ્હાબાદમાં સરાજાહેર ગોળીઓ વરસાવી વકીલની ક્રુર હત્યાઃ આગજની - બબાલ

યોગીના રાજમાં કાળો કેરઃ સવારના પ્હોરમાં

ધારાશાસ્ત્રી રાજેશ શ્રીવાસ્તવની મનમોહન પાર્કમાં હત્યાના પગલે અલ્હાબાદ કલેકટર ઓફીસ પાસે વકીલોએ બસ સળગાવીઃ જે સ્થળે આ વકીલની હત્યા થઇ તે સ્થળે હત્યા પહેલા થોડી મિનીટો પૂર્વેજ યોગી સરકારના મુખ્ય સચિવ અને પોલીસવડા નિકળ્યા હતા. અલ્હાબાદમાં અપરાધીઓ બેકાબૂઃ યોગી સરકારમાં અનેક એન્કાઉન્ટર છતાં કોઇ ભય નથી. વકીલો આગબબૂલા. સ્કૂટર ઉપર નીકળેલ વકીલનો પીછો કરી સવારે ૧૦ાા વાગ્યે જાહેરમાં કાન પાછળ ગોળી મારી હત્યા કરી નરાધમો ભાગી ગયેલ. ગુજરાતમાં જામનગર ખાતે પણ આજ રીતે ધારાશાસ્ત્રી કિરીટ જોશીની હત્યા થઇ હતી.

(4:43 pm IST)