Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

મોદીના બાલાકોટ હવાઈ હુમલાના નિવેદન પર ચૂંટણી પંચે માંગ્યો રીપોર્ટ

મહારાષ્ટ્રના લાતુરમાં આપેલા પુલવામાના નિવેદનની થશે તપાસ

નવી દિલ્હી તા. ૧૦ : ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે નિવેદન અંગે સંજ્ઞાન લીધું છે. જેમાં તેઓએ પ્રથમ વાર મતદાન કરનાર લોકોને કહ્યું છે કે તેમનો મત તેને આપો જેને બાળકોટ હવાઈ હુમલાને અંજામ આપ્યો. પંચે મહારાષ્ટ્રમાં ચૂંટણી અધિકારીઓ પાસેથી તેના પર રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીને જલ્દી રીપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે.

મહારાષ્ટ્રના લાતુરના ઔસામા રેલીને સંબોધિત કરીને મોદીને કહ્યું કે શું તમે તમારો પ્રથમ માટે એ લોકોને સમર્પિત કરી શકો છો જેઓએ હવાઈ હુમલા કર્યા. મોદીએ કહ્યું, હું પ્રથમ વાર મળતાં કરતા લોકોને કહેવા માંગુ છું કે શું તમારા પ્રથમ મત વીર જવાનોને સમર્પિત કરી શકો છો

ચૂંટણીપંચ દ્વારા ગયા મહિને આપેલી સલાહ અંગે આ રીપોર્ટ માંગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પંચે ગયા મહિને નોટિફિકેશન બહાર પાડીને રાજનૈતિક દળોને સશસ્ત્ર બળોની ગતિવિધિઓ અંગે ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવાની મનાઈ કરી છે.

(11:38 am IST)