Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

પંજાબ પોલીસે અમૃતપાલ સિંહના સાથીદારની અમૃતસર એરપોર્ટ પરથી ઝડપ્યો:લંડન ભાગવાની હતો ફિરાકમાં

વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંઘના સહયોગી ગુરિન્દર સિંહ શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટથી લંડન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો

પંજાબ પોલીસે હવે અમૃતપાલના નજીકના ગુરિંદર સિંહની અટકાયત કરી છે. તે દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયો. તેમની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી, તેથી તેમના માટે કોઈપણ રીતે દેશ છોડવો મુશ્કેલ હતો.

પંજાબ પોલીસે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહના એક સહયોગીને અમૃતસરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયત કરી છે. તે દેશમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંઘના સહયોગી ગુરિન્દર સિંહ શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટથી લંડન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.

પોલીસે ગુરિન્દર સિંહ વિરુદ્ધ પહેલા લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. તે જલંધરનો રહેવાસી છે અને અમૃતપાલનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરે છે.

(12:00 am IST)