Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર વેળાએ મમતા બેનર્જી પર હુમલો, દીદીને પગ અને માથાના ભાગે ઇજા

ભાજપે હુમલો કરાવ્યાનો મમતાનો આરોપ : દીદીને હોસ્પિટલે લઇ જવાયા

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ પુર જોશમાં શરુ તજાયો છે ત્યારે ચૂંટણી પ્રચારમાં તૃણમૂલ કૉંગ્રેસ પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નંદીગ્રામમાં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થયો છે, તેમના પગ પર ઈજા થઈ છે. જો કે, આ બનાવને લઈ મમતા તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેના પર હુમલો કરવામાં આવ્યો છે

મમતા બેનર્જીએ નંદીગ્રામમાં પોતાના પર હુમલો થયો આરોપ લગાવતા કહ્યું કે, ‘નંદીગ્રામમાં મારા પર હુમલો કરવામાં આવ્યો. મારા પગમાં ઈજા થઈ છે. મારા પગને ગાડીથી કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.’ TMC પ્રમુખ તરફથી એમ પમ કહેવામાં આવ્યું છે કે ઘટના વિરૂદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવશે. મમતા ઈજાગ્રસ્ત થતા તેમના ચૂંટણી અભિયાન પર અસર પડી છે અને તેમના અનેક કાર્યક્રમોને સ્થગિત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કારનો દરવાજો ખોલતા સમયે કેટલાંક લોકોએ મમતા સાથે ગેરવતર્ણૂંક કરી હતી. તો આ તરફ મમતા ઈજાગ્રસ્ત થતા ભાજપને પોલીસ અને પ્રશાસન પર પ્રહારો કર્યા. ભાજપે કહ્યું કે પોલીસ પ્રશાસન શું કરી રહ્યું હતું. CMની સુરક્ષામાં તહેનાત લોકો શું કરી રહ્યાં હતા

પશ્ચિમ બંગાળના મહાસંગ્રામનો ફોકસ બુધવારે નંદીગ્રામમાં જોવા મળ્યો. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પૂર્વ સલાહકાર હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુભેન્દુ અધિકારી અહીં સામસામે છે. બુધવારે મમતા બેનર્જીએ હલ્દિયા પહોંચીને પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું તો શુભેન્દુએ પોતાના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી.

ઉમેદવારી દાખલ કર્યા બાદ મમતાએ નંદીગ્રામ પર પોતાનો અધિકાર દાખવતા જણાવ્યું કે કઈ રીતે તેઓએ 26 દિવસ સુધી ખાધા પીધા વગર અહીં અનશન કર્યા હતા. હવે અહીંની જનતા તેમનો સાથ આપે. તો બીજી તરફ શુભેન્દુ અધિકારીએ મમતા દીદી પર હુમલો કરતા દાવો કર્યો કે તેઓ નંદીગ્રામથીથી તેઓ ઓછામાં ઓછા 50 હજાર મતથી જીત પ્રાપ્ત કરશે. આ પહેલાં મમતાએ નંદીગ્રામમાં શિવ મંદિર પહોંચીને જળાભિષેક કર્યો તો શુભેન્દુ અધિકારીએ હનુમાન મંદિરમાં પૂજા કરી.

(10:11 pm IST)