Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલ વિરુદ્ઘ સાંસદ મોહન ડેલકરના મોત મામલે એફઆઈઆર નોંધાઈ

સાંસદના પુત્ર અભિનવ ડેલકરે આક્ષેપ કર્યો હતો કે, 'મારા પિતાને અપમાનિત કરવામાં એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલે કોઈ કસર છોડી નથીઃ' બ્લેકમેલ અને ગેરવસૂલી રણનીતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો

મુંબઈ, તા.૧૦: પોલીસે લોકસભાના સાંસદ મોહન ડેલકરના મોત અંગે FIR નોધી છે. દાદરા અને નગર હવેલીના સાત વખતના લોકસભાના સાંસદ મોહન ડેલકર ૨૨ ફેબ્રુઆરીએ મુંબઇની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગુજરાતનાં માજી ગૃહમંત્રી સામે આ કેસમાં ફરિયાદ નોધવામાં આવી છે. મુંબઇ પોલીસમાં ગુજરાતરાજયના પૂર્વ ગૃહ મંત્રી અને દીવ-દમનના પ્રશાસક પ્રફુલ પટેલ સામે આ કેસમાં ફરિયાદ થતાં ચકચાર મચી છે. મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. દાદરા નગર હવેલીનાં કલેકટર વિરુદ્ઘ ફરિયાદ નોધાઇ છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડેલકરના પરિવારના સભ્યો મંગળવારે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રહાર અને એટ્રોસિટી નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

દેશમુખે વિધાનસભામાં કહ્યું હતું કે, ડેલકરની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ ખેડા પટેલ તેમને પજવણી કરે છે. ડેલકરના પુત્ર અને પત્નીએ મંગળવારે વિધાન ભવનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને પણ મળ્યા હતા.

વિધાન ભવનમાં બેઠક બાદ સાંસદના પુત્ર અભિનવ ડેલકરે આક્ષેપ કર્યો હતો કે, 'મારા પિતાને અપમાનિત કરવામાં એડમિનિસ્ટ્રેટરે કોઈ કસર છોડી નથી. બ્લેકમેલ અને ગેરવસૂલી રણનીતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(4:11 pm IST)