Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

અંતે JNUને સરકારે આપી સલાહઃઆંદોલનને શાંત પાડવા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ અને કેસ પાછા ખેંચી લો

પોલીસ ફરિયાદો અને કેસ પાછાં ખેંચાઇ જાય તો વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત થવાનો અંદાજ

નવી દિલ્હી :કેન્દ્રના માનવ સાધન વિકાસ ખાતાએ જવાહરલાલ યુનિવર્સિટીના સંચાલકોને એવી સલાહ આપી હતી કે છેલ્લા થોડા દિવસથી ફી વધારાના મુદ્દે ચાલી રહેલા આંદોલનને શાંત પાડવા વિદ્યાર્થીઓ સામે કરેલી પોલીસ ફરિયાદ અને કેસ પાછા ખેંચી લો.

સરકારે આપેલી આ સલાહનો કોઇ પ્રતિભાવ યુનિવર્સિટી તરફથી હજુ મળ્યો નહોતો. સરકાર માને છે કે એકવાર પોલીસ ફરિયાદો અને કેસ પાછાં ખેંચાઇ જાય તો વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત થઇ જવાની શક્યતા છે.

સરકાર માને છે કે દિલ્હી હાઇકોર્ટે અત્યાર પહેલાં જ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ્ યુનિયનની ચૂંટણીનાં પરિણામો જાહેર કરવાની પરવાનગી આપી દીધી છે એટલે એકવાર વિદ્યાર્થીઓ સામેની પોલીસ ફરિયાદ અને કેસ પાછાં ખેંચાઇ જાય તો વિદ્યાર્થીઓ થોડા શાંત થઇ જવાની શક્યતા છે.

(1:16 pm IST)