Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

નરેન્‍દ્રભાઇ મોદી ચીનના પ્રવાસેઃ ચીન અને પાકિસ્‍તાનના પ્રતિનિધિઓની હાજરીમાં આતંકવાદનો મુ્દ્દો ઉઠાવાશે

શાંઘાઇઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી ચીનના પ્રવાસે છે. ચીન અને પાકિસ્‍તાનના પ્રતિનિધિઓની હાજરીમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આતંકવાદનો મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ચીનના ચિંગદાઓ પહોંચી ગયા છે. પીએમ મોદી અહીં યોજાનારી બે દિવસીય શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલનમાં ભાગ લેતા પહેલા પીએમે કહ્યું કે, દેશના પૂર્ણ સભ્યના રૂપમાં સમૂહની પ્રથમ બેઠકમાં તે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાને લઈને ઉત્સાહિત છે. 

વડાપ્રધાન મોદી આ બેઠકમાં ઉઝ્બેકિસ્તાન, ચીન અને સાજિકિસ્તાનના પ્રતિનિધિઓ દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પરંતુ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય બેઠક થશે નહીં. 

વડાપ્રધાન આજે ચિંગદાઓમાં એસસીઓ શિખર સંમેલનથી અલગ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં બંન્ને નેતા આશરે એક મહિના પહેલા વુહાનમાં થયેલી અનૌપચારિક બેઠકમાં લેવાયેલા નિર્ણયોના અમલની તપાસ કરશે. ગુરૂવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, ભારત સીમિત અને શિખર વાર્તા બેઠકોનો પણ ભાગ બનશે. 

શંઘાઇ સહયોગ સંગઠન શિખર વાર્તા પર ચાર મુખ્ય એજન્ડા હોઈ છે. રાજનીતિક, સુરક્ષા (આતંકવાદ), આર્થિક અને સાંસ્કૃતિક. ભારતની હાજરી કનેક્ટિવિટીને વધારો આપશે. 

9 જૂને સૌથી પહેલા પીએમ નરેન્દ્રભાઇ મોદી શંઘાઈ સહયોગ સંઠનના સેક્રેટરી જનરલ રાશિદ અલીમોવ સાથે વાર્તા કરશે. ત્યારબાદ તે શંઘાઈ સહયોગ સંગઠનમાં સામેલ દેશોના પ્રતિનિધિઓ જેમાં ચીનના શી જિનપિંગ, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવ, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમોમાલી રહમોનની સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાન શંગાઇ સહયોગ સંગઠનનું સભ્ય છે, પરંતુ તેની સાથે દ્વિપક્ષીય બેઠકનો કોઈ કાર્યક્રમ નથી. 

મોદી શી જિનપિંગ દ્વારા આયોજીત શાહી ડિનરમાં પણ સામેલ થશે. એપ્રિલમાં વુહાનમાં મળ્યા બાદ મોદી એકવાર ફરી શી જિનપિંગ સાથે મુલાકાત કરવાના છે. બીજીતરફ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય બેઠક તે માટે યોજાશે નહીં કારણ કે, ત્યાં જુલાઇમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને ત્યાં અત્યારે કેયરટેકર સરકાર છે. શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન હાજરી આપવાના છે.

(5:43 pm IST)