Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

સપનામાં મેં પોતાને અક્ષરધામને ફુંકી મારતા જોયોઃ પકડાયેલા કાશ્મીરીની આડીઅવળી વાતોથી પોલીસ ગોટે ચડીઃ ત્રાસવાદી ન હોવાની શકયતા

ટ્રેનમાંથી વગર ટીકીટે પકડાયો અને પછી વાતો ચાલી કે ત્રાસવાદી પકડાયોઃ હકીકતમાં કોથળામાંથી બિલાડુ નીકળ્યા જેવો તાલ

નવી દિલ્હી તા.૯ : પરમ દિવસે શતાબ્દી એકસપ્રેસમાંથી મથુરા ખાતેથી વગર ટીકીટે પકડાયેલા માનસિક રીતે નબળા કાશ્મીરીએ આડીઅવળી વાતો કરી સુરક્ષા એજન્સીઓની ઉંઘહરામ કરી દીધી છે. નશાની ટેવવાળા આ યુવકે પુછપરછમાં મથુરા જીઆરપીને જણાવ્યુ હતુ કે, મેં સપનામાં જોયુ કે મંદિરની નજીક બ્લાસ્ટ કરી રહ્યો છુ. આ ખુલાસા યુપી એટીએસ, આઇબી અને દિલ્હીની સ્પેશીયલ સેલ સહિત તમામ એજન્સીઓની ઉંઘહરામ થઇ ગઇ હતી. સુરક્ષા એજન્સીઓ તેના ત્રાસવાદી કનેકશનની તપાસ કરી રહી છે. બીલાલ અહેમદ નામનો આ યુવક ત્રાસવાદી છે કે નહી ? એ અંગે અલગ-અલગ વાતો બહાર આવી રહી છે. બીલાલ અહેમદ વાની નામનો આ શખ્સ શતાબ્દી એકસપ્રેસમાંથી વગર ટીકીટે પકડાયો હતો. ટીટીએ પોલીસને જણાવ્યુ હતુ કે મેં કાશ્મીરીની ખુદાબક્ષ તરીકે ધરપકડ કરી છે. તરત જ મેસેજ ફલેસ થયા કે શતાબ્દી એકસપ્રેસમાંથી કાશ્મીરી ત્રાસવાદી પકડાયો છે. યુપી એટીએસ બોલાવી લેવામાં આવી, મીડીયાને પણ સમાચાર આપવામાં આવ્યા પરંતુ કોથળા બિલાડુ નીકળ્યુ હોય તેમ આ યુવાન પાગલ હોવાનુ જણાયુ હતુ. તેણે આડીઅવળી વાતો કરી તેણે પોલીસને પણ ગોટે ચડાવી હતી. તેના સાથીઓ પણ મળ્યા નથી.

(11:26 am IST)